DIVORCE OF HINDU PERSON જે સપ્તપદી ના ફેરા ફરી અને સાત જન્મ સુધી સાથે જીવવા ના સોગંધ લીધા હોય અને સાતે જન્મ એજ પતિ અને એજ પત્ની મળે તે સપના જોયા હોય. તે જીવનના તબ્બકા માં જયારે છુટા પાડવાનું આવે અને એ છુટાછેડા આખા જીવતર નો ઘા બને એ ખરેખર આઘાતજનક બાબત હોય છે. હિન્દૂ લગ્ન અધિનિયમ , 1955 કલમ : 13 માં છૂટાછેડા કોણ લઇ શકે અને ક્યાં સંજોગો માં લઈ શકે તે જણાવેલ છે. પતિ અથવા પત્ની નીચેના કારણસર છૂટાછેડા માટે કોર્ટ માં અરજી કરી શકે છે. વિધિઅનુસાર લગ્ન થયા બાદ લગ્ન સાથી સિવાય ના અન્ય કોઈ વ્યક્તિ સાથે સ્વેછાથી સમાગમ કરેલ હોય. વિધિઅનુસાર લગ્ન થયા બાદ છૂટાછેડા ની અરજી કરનાર સાથે ક્રુરતા પૂર્વક વર્તન કરેલ હોય. કોર્ટ માં અરજી કરી હોય તેના બે વર્ષ થી અરજી કરનારનો ત્યાગ કરેલ હોય. ધર્મ પરિવર્તન કરી વ્યક્તિ હિન્દૂ રહ્યો ન હોય. એવી બીમારી થી પીડાતા હોય કે સાથે રહી શકાય તેમ ન હોય. તીર્વ અને અસાધ્ય રક્તપિત્ત થી પીડાતા હોય. ...
Comments
Post a Comment