Skip to main content

Procedure of arrest

ધરપકડ ની કાર્યવાહી 
    આપણે અગાઉ ધરપકડ ના કારણો ની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશુ કે પોલીસે કઈ રીતે ધરપકડ કરશે. કાયદા થી ખાનગી વ્યક્તિ ને પણ ધરપકડ કરવાના અધિકાર આપેલા છે. આમ પોલીસ અધિકારી કે ખાનગી વ્યક્તિ , જે વ્યક્તિની ધરપકડ કરવાની છે તે વ્યક્તિના શરીર ને અટક માં લેશે. જયારે કોઈ મહિલાની ધરપકડ કરવાની હશે તો મહિલા પોલીસ જ ધરપકડ કરશે. પરંતુ જયારે આવી વ્યક્તિ પોલીસે ને તાબે ના થાય અને પોલીસે નો સામનો કરે ત્યારે પોલીસ કાયદાની મર્યાદા માં સાધનો નો ઉપયોગ કરશે. 
   જયારે કોઈ વ્યક્તિ ઉપર મૃત્યુ કે આજીવન કેદ ની સજા મુજબ નો ગુનાનું તહોમત ના હોય તો તેનું મોત નિપજાવી શકાય નહિ.
  ફોજદારી કાર્યવાહી ના કાયદાની કલમ : 46 (4) માં જણાવેલ છે કે કોઈ મહિલા ની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા  કરી શકશે નહિ સિવાય કે એવા સંજોગો ઉભા થાય કે ધરપકડ કરવી જરૂરી છે તો મહિલા પોલીસ અધિકારી , લેખિત રિપોર્ટ ના આધારે જેની હુકુમત માં ગુનો થયો હોય તે ફર્સ્ટ ક્લાસ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની અગાઉ થી પરવાનગી મેળવશે અને તે બાદ મહિલાની ધરપકડ કરી શકાશે.
 ફોજદારી કાર્યવાહી ના કાયદાની કલમ : 50 માં જણાવેલ છે કે કોઈ વ્યક્તિ ની વિના વોરન્ટ ધરપકડ કરવા માં આવેલ હોય તો તેને ધરપકડ ના કારણો ની તથા જો બિન જામીન લાયક ગુના સિવાય ના ગુના માં તે જમીન ઉપર છૂટવા ને હકદાર છે તે જણાવવું પડશે.
 ધરપકડ કરાયેલ વ્યક્તિ જેનું નામ આપે તેવા નજીક ના મિત્રો કે સગા કે તે જણાવે તે વ્યક્તિ ને ધરપકડ ની જાણ કરશે.
 ધરપકડ કરાયેલ વ્યક્તિ ની દાક્તરી તાપસ પોલીસ કે ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈચ્છે તો દાક્તરી તપાસ કરવામાં આવશે.
 ફોજદારી કાર્યવાહી ના કાયદાની કલમ : 57 મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિ ને 24 કલાક થી વધુ સમય માટે અટકાયત માં રાખી શકાશે નહિ. એટલે કે 24 કલાક સુધી માં નજીક ના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવો પડશે. 
 
     

    
  

 

Comments

Popular posts from this blog

Natural Guardian of a Hindu Minor

Natural Guardian of a Hindu Minor હિન્દૂ સગીર ના કુદરતી વાલીઓ    Hindu minors and guardianship act : 1956 ની કલમ : 6 આ બાબતે નો ઉલ્લેખ કરેલ છે. કોઈ પણ હિન્દૂ સગીર ની જાત માટે કે તેની મિલકત માટે  સગીર ના વાલી તરીકે ,  જો છોકરો કે છોકરી અપરણિત હોય તો તેના પિતા અને તે બાદ તેની માતા , પરંતુ જોગવાય એવી કરવામાં આવેલ છે કે સગીરે જો પાંચ વર્ષ પુરા ન કરેલ હોય તો તેવા સગીર નો કબ્જો તેની માતા પાસે રહેશે.  જો અનૌરસ છોકરો અથવા અપરણિત છોકરી ના બાબતે માતા અને ત્યાર બાદ પિતા  પરણિત છોકરી ની બાબત માં તેનો પતિ    which person not become a guardian ? જો તેને હિન્દૂ ધર્મ નો ત્યાગ કરેલો હોય જો તેન સંસાર નો ત્યાગ કરી ને સાધુ બનેલ હોય.  

પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.

When police arrest without warrant  પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.    ભારતીય ફોજદારી કાર્યવાહી ના કાયદા ની કલમ : 41 માં જણાવેલ છે કે પોલીસ અધિકારી ની રૂબરૂ માં કોઈ વ્યક્તિ પોલીસ અધિકાર નો ગુનો કરે , જેની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવી છે અથવા એવી ખાતરી લાયક માહિતી મળી છે અથવા એવી વ્યાજબી શંકા પેદા થઈ છે કે તેને પોલીસ અધિકારનો ગુનો કરેલો છે કે જેની સજા સાત વર્ષ સુધી ની સજા હોય અથવા જે દંડ સાથે કે દંડ વિના સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી હોય અને નીચેં શરતો પુરી થતી હોય.    આવી ફરિયાદ ના આધારે પોલીસે અધિકારી ને એવું લાગે કે ધરપકડ કરવી જરૂરી છે.       1. આવી વ્યક્તિ બીજો ગુનો કરતા અટકે        2. ગુનાની યોગ્ય તપાસ  કરવા        3. પુરાવા સાથે કોઈ ચેડાં ન કરે તે માટે        4. કોઈ લાલચ ધમકી અથવા વચન થી માહિતી ખુલ્લી ન કરે તે માટે       5. જો આવી વ્યક્તિ ની ધરપકડ ન કરવા માં આવે તો , તેને અદાલત સમક્ષ હાજર કરી શકાય તેમ ન હોય ત્યારે તેની હાજરી નિશ્ચિત...