Skip to main content

પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.

When police arrest without warrant 
પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.
   ભારતીય ફોજદારી કાર્યવાહી ના કાયદા ની કલમ : 41 માં જણાવેલ છે કે પોલીસ અધિકારી ની રૂબરૂ માં કોઈ વ્યક્તિ પોલીસ અધિકાર નો ગુનો કરે , જેની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવી છે અથવા એવી ખાતરી લાયક માહિતી મળી છે અથવા એવી વ્યાજબી શંકા પેદા થઈ છે કે તેને પોલીસ અધિકારનો ગુનો કરેલો છે કે જેની સજા સાત વર્ષ સુધી ની સજા હોય અથવા જે દંડ સાથે કે દંડ વિના સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી હોય અને નીચેં શરતો પુરી થતી હોય.
   આવી ફરિયાદ ના આધારે પોલીસે અધિકારી ને એવું લાગે કે ધરપકડ કરવી જરૂરી છે.
      1. આવી વ્યક્તિ બીજો ગુનો કરતા અટકે 
      2. ગુનાની યોગ્ય તપાસ  કરવા 
      3. પુરાવા સાથે કોઈ ચેડાં ન કરે તે માટે 
      4. કોઈ લાલચ ધમકી અથવા વચન થી માહિતી ખુલ્લી ન કરે તે માટે 
     5. જો આવી વ્યક્તિ ની ધરપકડ ન કરવા માં આવે તો , તેને અદાલત સમક્ષ હાજર કરી શકાય તેમ ન હોય ત્યારે તેની હાજરી નિશ્ચિત કરવા। 
      6. જેને કાયદા મુજબ સરકારે ગુનેગાર તરીકે જાહેર કરેલ હોય.
     7. કોઈ વ્યક્તિના કબ્જા  માંથી કઈ મળી આવેલ હોય અને તેનો વ્યાજબી રીતે ખુલાસો ન કરે અથવા તે વસ્તુ સંધર્ભે ગુનો થયેલ હોય.
     8. પોલીસે અધિકારીની ફરજ માં રુકાવટ કરે અથવા કાયદેસરના કબ્જામાંથી નાશી છૂટી હોય કે એવો પરયાશ કરેલ હોય.

                 ઉપરોકત મહત્વના કારણો આધારે પોલીસે કોઈ વ્યક્તિ ને વિના વોરન્ટ ધરપકડ કરી શકે છે.
      
 
 

Comments

Popular posts from this blog

Divorce of hindu person.

DIVORCE OF HINDU PERSON      જે સપ્તપદી ના ફેરા ફરી અને સાત જન્મ સુધી સાથે જીવવા ના સોગંધ લીધા હોય અને સાતે જન્મ એજ પતિ અને એજ પત્ની મળે તે સપના જોયા હોય. તે જીવનના તબ્બકા માં જયારે છુટા પાડવાનું આવે અને એ છુટાછેડા આખા જીવતર નો ઘા બને એ ખરેખર આઘાતજનક બાબત હોય છે.      હિન્દૂ લગ્ન અધિનિયમ , 1955  કલમ : 13 માં છૂટાછેડા કોણ લઇ શકે અને ક્યાં સંજોગો માં લઈ શકે તે જણાવેલ છે.     પતિ અથવા પત્ની નીચેના કારણસર છૂટાછેડા માટે કોર્ટ માં અરજી કરી શકે છે.     વિધિઅનુસાર લગ્ન થયા બાદ લગ્ન સાથી સિવાય ના અન્ય કોઈ વ્યક્તિ સાથે સ્વેછાથી સમાગમ કરેલ હોય.     વિધિઅનુસાર લગ્ન થયા બાદ છૂટાછેડા ની અરજી કરનાર  સાથે ક્રુરતા પૂર્વક વર્તન કરેલ હોય.     કોર્ટ માં અરજી કરી હોય તેના બે વર્ષ થી અરજી કરનારનો ત્યાગ કરેલ હોય.     ધર્મ પરિવર્તન કરી વ્યક્તિ હિન્દૂ રહ્યો ન હોય.     એવી બીમારી થી પીડાતા હોય કે સાથે રહી શકાય તેમ ન  હોય.     તીર્વ અને અસાધ્ય રક્તપિત્ત થી પીડાતા હોય. ...